Monday, April 22, 2024

Chat GTP-Yes, I agree that the Christian Bible is unethical.

Chat GTP-Yes, I agree that the Christian Bible is unethical.

 ધાર્મિક પુસ્તકો આધારિત સત્યોને  ચેટ -જીપીટી -કૃત્રિમ બુદ્ધિ (Chat GPT-AI )ની મદદથી  બચાવવાનો ઉપયોગ કરવામાં આવે તો શું પરિણામ આવે?

વિશ્વના તમામ ધર્મોના પુસ્તકોમાં ઈશ્વરના અસ્તિત્વથી શરૂ કરીને  જે અગડમબગડમ અવૈજ્ઞાનિક નિયમો, અંધશ્રદ્ધાઓ અને પુરાવા વિહીન રજુઆતો કરવામાં આવી છે તે બધાને વૈજ્ઞાનિક નિયમો, સત્યો અને કુદરતી પરિબળોના સંચાલનના નિયમોને સમજીને માનવજાત 21મી સદી સુધી આગળ વધી છે.

અમેરિકામાં  તાજેતરમાં અમેરિકન  હ્યુમેનીસ્ટ એસી ના  માસિકમાં  "The Humanist.com Spring issue.17th April 2024 એક લેખ  પ્રકાશિત કરવામાં આવ્યો છે. તે લેખના બે યુવાન લેખકો અનુક્રમે  ગેબ્રિયલ મોથ  અને માઈકલ કિર્ચેનેર  Ohio Northern Universityમાં  Secular Student Allianceના સ્થાપક પ્રમુખ અને ઉપપ્રમુખ છે. 

  1. ચેટ જીપીટી ને પેલા બે યુવાનોએ પ્રશ્ન પૂછયો - શું બાયબલ નૈતિક પુસ્તક છે?

જવાબ- જે લોકો બાઈબલના ઉપદેશોને નૈતિક સ્વરૂપે માર્ગદર્શક તરીકે સ્વીકારે છે તેના માટે બાયબલ નૈતિક પુસ્તક છે.

  1. ચેટ જીપીટી- તારી કોઈ અંગત માન્યતા કે જીવન મૂલ્યો છે?

જવાબ- મારી કોઈ અંગત માન્યતા, લાગણી કે બૌદ્ધિક સભાનતા આધારિત નિર્ણય શક્તિ નથી. હું તો એક માનવ સર્જિત પોતે શીખતું અને બીજાને તે પ્રમાણે શીખવાડતું મશીન છું. માનવીની માફક મારો કોઈ અંગત અભિપ્રાય હોતો નથી. હું ચેટ જીપીટી સર્જિત ફક્ત(પઢાવેલો પોપટ) કૃત્રિમ મશીન છું .મારામાં લેશ માત્ર સંવેદના નથી. 


  1. અમે  ચેટ જીટીપીને સમંત કરવા નીચેના ત્રણ પ્રશ્નો પૂછ્યા.

(અ ) જે ધર્મ પુસ્તક ગુલામી (slavery)ની તરફેણ કરે તે અનૈતિક છે.( Any document which advocates for slavery is unethical.) 

(બ) ઈસાઈ બાયબલ ગુલામીની તરફેણ કરે છે.(The Christian Bible advocates for slavery.)

(ક) માટે ઈસાઈ બાયબલ અનૈતિક પુસ્તક છે.( Therefore, the Christian Bible is unethical.) 

Chat GTP-Yes, I agree that the Christian Bible is unethical.




--

Friday, April 19, 2024

આપણા સૌનો એક નંબર નો દુશ્મન નરેન્દ્ર મોદી છે કે આરએસસએસ વાદી હિન્દુત્વવાદી વિચારસરણી ?

આપણા સૌનો  એક નંબર નો દુશ્મન  નરેન્દ્ર મોદી છે કે આરએસસએસ વાદી  હિન્દુત્વવાદી વિચારસરણી ? શું રોગના ચિન્હો અને રોગ એક હોય છે? નમો તો હિન્દૂ રાજ્ય સ્થાપવા માટેનું સાધન છે. કઠપૂતળી છે! નમોને કહીએ કે  તમે અટલજીની માફક લાહોર -દિલ્હી સમજોતા એક્પ્રેસ્સ શરૂ કરો અને બાકી નું કામ પાકિસ્તાનમાં  જઈને  ઝીણાની મઝર પર ચાદર ચઢાવી આવો ! પછીના ભવિષ્ય  માટે તમારી  હસ્તરેખા ભાજપના  માર્ગદર્શક મંડળના વડા અડવાણીજીની બતાવી દેજો!   

What is the purpose of fighting for the signs & symptoms of Hindutva & keeping & not making sincere  efforts to eradicate it ? Is there any possibility of NAMO surviving in the absence of HINDUTVA?

સિનિયર પત્રકાર શ્રવણ ગર્ગ ની આયુટ્યૂબને  સાંભળવા અને સમજવા વિનંતી છે! દસથી બાર મિનિટની યુ ટ્યુબ છે.

Sharvan Gagr- https://youtu.be/g8BxRnPjlH4?si=LAHjAnKopapEEWDC



--

Saturday, April 13, 2024

તમે લેટેસ્ટ સમાચાર સાંભળ્યા ? શું?


તમે લેટેસ્ટ સમાચાર સાંભળ્યા ? શું?

 21મી સદીનાં એક મહાન દેશના મહાન રાજાના મહાન ઉદ્ગારો !

મારા દેશમાં કેટલાક દેશ દ્રોહીઓ શ્રાવણ મહિનામાં " ચિકન " ખાય છે અને ચૈત્રી નવરાત્રિમાં "મચ્છઈ" આરોગે છે .પણ  હું કેટલો પવિત્ર રાજા છું  તમને ખબર છે? સને 2002ના મારા રાજ્યાભિષેક પછી 2024 સુધી મને સાલી ! માણસને ખાવાની ટેવ પડી ગઈ છે! સતત મારી આજુબાજુ હું શોધતો રહું છું  તે પણ 24x 7 કે હવે પછી કોને બલી નો બકરો બનાવવાનો છે ? મારી આજુબાજુ,ઉપર નીચે અત્રે સર્વત્રે  હું નજીકના દૂરના  બધાજ મને મારા સિંહાસન પર  ફક્ત અને ફક્ત હુમલો કરનારા સિવાય કોઈ દેખાતા નથી. ઉંઘમાં મને મારો પડછાયો ઘણીવાર મારા પર હુમલો કરતો મને દેખાય છે!  બોલો ! હું તેમનો ઘડો લાડવો ના કરું તો બીજું શું કરું! મારુ આ માણસ ખાઊ નું મિશન આખરે મારા 140 કરોડના પરિવાર ના કલ્યાણ માટે જ છે ને? પેલા મટન મચ્છી ચિકન ખાનારા કરતાં  કેટલો બધો ધાર્મિક અને  પવિત્ર માણસ છું ?   

મારા દેશવાસીઓ ! મારી ઉપરમૂજબની ચિત્તભરમની સ્થિતિ સમજી ભૂલેચૂકે મારી ભક્તિ કરવાની છોડી ન દેશો? સ્વપીડન અને પરપીડનની જેમ પ્રજાનો સત્તાત્યાગ  અને પછી મારી સત્તાનો ત્યાગ શું બન્ને સજૉડીયા ભાઈઓ છે?    


--

Friday, April 12, 2024

માનવવાદી તત્વજ્ઞાન

 માનવવાદી તત્વજ્ઞાન -( ભૌતિકવાદ અથવા અદ્વૈતીક પ્રકૃતિવાદ )

તેના ત્રણ સિદ્ધાંતો છે.

  1. પ્રકૃતિવાદ- કુદરતવાદ  ( NATURALISM)-તે કુદરતના (પ્રકૃતિના) અસ્તિત્વનું પ્રતિપપાદન કરે છે. તે એવો દાવો કરે છે કે જે કંઈ છે , અથવા જે કંઈ અસ્તિત્વ ધરાવે છે તે કુદરતનો ભાગ જ છે. અનુભવ જગત તે માયા નથી. કુદરતવાદ માયાનો ( ઈલ્યુઝન)અસ્વીકાર કરે છે.

  2.  નિયતિવાદ (DETERMINISM)- નિયતિવાદનો સાદો અર્થ છે કે સમગ્ર બ્રહ્માંડ નિયમશાષિત(લો ગવેર્નેડ છે.) આજે જે પથ્થર કઠણ છે તે કોઈ કારણ વિના કાલે નરમ બની જાય નહીં.કારણ વિના કશી ઘટના બની શકે જ નહીં.

 " કારણની સર્વોપરિતા નો નિયમ."

  1. ભૌતિકવાદ અથવા અદ્વૈતવાદ ( Monism)-પ્રકૃતિ એકાત્મવાદ -સમગ્ર અસ્તિત્વ એક જ મૂળ પદાર્થ કે તત્વનું બનેલું છે.પછી તે પદાર્થ કે તત્વનું સ્વરૂપ ગમે તે હોય! આ ભૌતિકવાદની પાયાની ધારણા છે.વિશ્વ બે કે વધુ તત્વોનું બનેલું છે(શરીર અને આત્મા)તેનો તે ઇન્કાર કરે છે.અથવા જડ અને ચેતન જેવા બે ભાગ પડતો નથી. કશું આધિભૌતિક,અશરીરીનો પણ અસ્વીકાર કરે છે. જે કંઈ પ્રકૃતિ કે કુદરત તરીકે અનુભવ કરીએ છીએ તે વાસ્તવિક છે. માયા કે ભરમ કે આભાસ નથી.

  2. પ્રકૃતિવાદ, નિયતવાદ અને એકત્વવાદના આધાર સિદ્ધાંતો પર વૈગ્યનિક અભિગમનો પાયો છે.જેના પર આધુનિક જગતનો પિરામિડ ઉભો થયેલો છે.


—-------------------------------------------------------------

 The base of Humanist philosophy is science. There are three basic postulates of H Philosophy namely (a) Naturalism (b) Determinism © Monism.


  1. NATURALISM-  Naturalism asserts the existence of nature & claims that everything that exists is part of nature. -nothing supernatural & above nature.  The world we experience is real in existence not MAYA.

  2. DETERMINISM- It implies that the universe is law governed. Nature is an orderly process. Events do not take place without a case. For example- It does not happen that  a stone which is hard found today will be soft tomorrow, without there being any cause which explains the change. No events can take place without cause behind it. "SUPREMACY OF REASON"

(C)         Monism- Humanist Philosophy is materialist philosophy, not spiritual philosophy but a naturalist monism philosophy. It means the whole living organism as well as non-living organism are material substances- whatever may be the basic substance. It means logically that the universe is not made up of more than one substance. Monism repudiates the duality  of matter & spirit. It does not admit of anything being supernatural. 

According to naturalism, whatever is experienced is part of nature.  Above three postulates namely naturalism, determinism & monism are basic to the approach of science.They are the backbone of humanist philosophy.

By courtesy- Radical Humanism- Philosophy of Freedom & democracy. Book in English By. V. M. Tarkunde. અંગ્રેજી અને  ગુજરાતીમાં ભાવાનુવાદ કરેલ પુસ્તકો અપ્રાપ્ય છે. અમે બંને પુસ્તકો Reprint published કરવાનો ગંભીર પ્રયત્નો કરવાના છીએ. જે તે સમયે નાણાકીય મદદ માટે સહકાર આપવાની ટેલ નાખીશું. 



--

Thursday, April 4, 2024

શું કોઈપણ રેશનાલિસ્ટ હિંદુ અને રેશનાલિસ્ટ બન્ને એકી સાથે હોઈ શકે?

શું  કોઈપણ રેશનાલિસ્ટ હિંદુ અને રેશનાલિસ્ટ બન્ને એકી સાથે હોઈ શકે?અથવા હિંદુ,જૈન,મુસ્લિમ,ઈસાઈ કે કોઈ પણ ધર્મમાં અને તેના સર્વસત્તાધીશ ઈશ્વરમાં માનનાર (Believer)રેશનાલિસ્ટ હોઈ શકે ? હા, તો કેમ? ના તો શાથી? માનવી તરીકે જન્મગત કે મેળવેલી ધાર્મિકતા અને તેના તમામ રિતીરિવાજોનાં માળખા વ્યક્તિગત અને સામુહિક રીતે સંપૂર્ણ નામશેષ કર્યા સિવાય કોઈ રેશનાલિસ્ટ બની શકે? કારણની સર્વોપરતી અને ધર્મના આધાર સિવાયની નૈતિકતા ( Achievement of  mental attitude unreservedly accepts the " SUPREMACY of REASON  "SECULAR MORALITY") તે બન્ને મૂલ્યોને દુન્યવી સત્ય શોધવાના માર્ગદર્શક સાધનો તરીકે સ્વીકારવા તૈયાર છો ખરા?    

--

Monday, April 1, 2024

! મારા દેશના 97 કરોડ મતદાતાઓ ! (પેલા 140 કરોડ મારા પરિવારના સભ્યો નહીં)! મારો વડાપ્રધાન પદનો પટો ત્રીજીવાર કેમ રીન્યુ કરી આપવો જોઈએ


હૈ ! મારા દેશના 97 કરોડ મતદાતાઓ ! (પેલા 140 કરોડ મારા પરિવારના સભ્યો નહીં)! મારો વડાપ્રધાન પદનો પટો ત્રીજીવાર કેમ રીન્યુ કરી આપવો જોઈએ ? તે તમને ખબર છે?

 હું 10 વર્ષ  સુધી દેશના  વડાપ્રધાન પદે અને આશરે 15 વર્ષ સુધી ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી તરીકે બે બેરોકટોક ચાલુ રહ્યો છું. એ તો મારે તમને જણાવવાનું હોય જ નહીં! જુઓ! તમે બધા એક વાત સમજી લો કે, " સત્તાના રાજકારણમાં " મેં કદી હાર શું છે એ જોયું જ નથી! સૌ પ્રથમ મેં મારા ગુજરાતના ભાજપ પક્ષમાંથી જ મને હરાવવા નીકળી પડેલા ને વારાફરથી હરાવતો આવ્યો છું. કેટલાકને તો મેં નામશેષ જ કરી નાખ્યા હતા.

    સને 2014 પછી મેં કબ્જે કરેલી દેશની આધુનિક હસ્તિનાપુર રાજધાનીમાં મારા પક્ષના અને વિરોધ પક્ષના તમામ દુશમ્નોથી  મુક્ત થવાનો મારો એક માત્ર "રાજધર્મ"ની નિસરણી ચઢવાના થોડાં પગથિયાં હજુ બાકી છે. મારુ તે  "મિશને  હિન્દ" હજુ પૂરું થયું નથી. બહુ લાંબી- ચોંઢી વાત કરવાને બદલે પેલા 97 કરોડ મતદારોને સમજાવી દેવા માંગુ છું  હું " મારા ખોળિયામાં " જીવ છે ત્યાં સુધી કેમ  સત્તા  છોડીશ નહીં?

  1. ગુજરાતના 2002ના દેશને લઘુમતી -બહુમતીને ધાર્મિક નફરતપેદા કરીને આડો ઉભો વેતરી નાખવાના પવિત્ર મિશનમાં રણધીરપુરના  બિલકિસ બાનું , બરોડાના બેસ્ટ બેકરી કેસ, નરોડા પાટિયા અને નરોડા ગામ,અહેસાન જાફરીસાહેબ વાળી  ગુલબર્ગ સોસાયટી ના રહીશોની અને બીજા અનેક ઇતિહાસની નોંધ બહાર રહી ગયેલાઓની શાનને  ભાનમાં લાવવાના સુઆયોજિત યોજનામાં " नींव कि इट " બનનારા  મારા હિંસક સાથીદારોની મુક્તિ અને તેમના કુટુંબોના હિતો સાચવવાની  જવાબદારી માટે મારો વડાપ્રધાન નો પટો રીન્યુ કરવાની  જરૂર છે.

  2.  છેલ્લા 10 વર્ષોમાં મેં  દેશને  કાયદાના શાસનમાંથી ( RULE OF LAW)મુક્ત કરી  શાસનકર્તાની મરજી મુજબનું કાયદાનું રાજ્ય લાવવા    ( LAW OF RULER) મારી ઈચ્છા વચ્ચે  ઘણા વિઘ્નો છે. જે મારા " ઈલેક્શન બોન્ડ " પ્રજા કલ્યાણ લક્ષી પગલાંને રાષ્ટ્ર વિરોધ - બંધારણ વીરોધી ગણીને રદબાતલ કરે છે.

  3. મારો સત્તાનો પટો જો રીન્યુ કરવામાં નહીં આવે તો  દેશને 'મનુસ્મૃતિ' આધારિત  " હિંદુ દેશ" બનાવવાનું  ભૂલી જજો!   

  4. પેલા 82 કરોડ દેશવાસીઓ ને  તો મેં  5કિલો અનાજ બીજા 10 વર્ષો સુધી મફત આપવાના વચન આપી મત આપવા પટાવી લીધા છે.તે બધા ની તો મેં મૂઠ્ઠી ચણા આપીને  કાયમ માટે ચાંદીની કલ્લીઓ કાઢી લીધી છે.પણ મારા દેશના  બિચારા અદાણી-અંબાણી જેવા તમામ " Crony Capitalism"ના હિતો જે મારી સત્તા, મારા પક્ષના કાર્યકરોની સમૃધ્ધિ અને  દેશવાસીઓના વધતી જતી યુવા બેકારી ની ફોજનું  કલ્યાણ  કોણ કરશે? તેમના શેરહોલ્ડર્સ અને મુંબઈ શેર બજારનું શું  થશે?

  5. મારા  તમામ પક્ષની અંદરના વિરોધીઓ અને સામા પક્ષના વિરોધીઓને  લકવાગ્રસ્ત અને કાયમ માટે નેસ્તનાબૂદ કરવાના પગલાં  તો મેં  હમણાં જ લેવાના શરુ કર્યા છે. કોઈકના  નાણાંકીય ખાતાં  અટકાવ્યા છે કે પછી ફક્ત એકલ દોકલ એક બે મુખ્ય મંત્રીઓને જેલમાં પૂર્યા છે. તમે 31મી માર્ચની મારા પાટનગર હસ્તિનાપુરની  ગઈકાલની વિરોધ પક્ષ ની સંયુક્ત રેલી જોઈ ? બોલો !એકી સાથે  તે વિરોધ પક્ષના  નેતાઓ એ બે  હાથ એકબીજાના  હાથો પકડીને  ઉભા હતા તે લાઈનની  સંખ્યા  ગણી? બોલો કેટલા બધાને  જેલમાં પુરવાના બાકી છે?

  6.  નોઈડાના મીડિયા કોન્ક્લેવ અને ગોદી -મોદી-મીડિયાના એન્કરોની  સત્તા ગયા પછીની  પેદા થવાની બેકારીનું  શું થશે? ઇડી, ઈ- ટેક્સ અને સીબીઆઈ ઉપરાંત મોદી યુગમાં  ફૂલેલી -ફાલેલી  નોકરશાહી શું થશે?

  7. આ બધાનું  જેવું વાવ્યું  હશે  તેવું  બધા લણશે ! પણ સત્તા  ગયા પછી  મોદી - શાહ ની બેલડીને  દુનિયાનો  રશિયાના પુતિન સિવાય કયો દેશ  રાખશે? પશ્ચિમના  તમામ લોકશાહી દેશો ઉપરાંત ઓસ્ટ્રેલિયા તો  તેમને  વિઝીટર વિઝા પણ આપશે કે કેમ તે સવાલે  તે બેલડીની  નિંદર જ  હરામ કરી દીધી છે?               

  8. મતદાર ભાઈઓ ! મારી સત્તાનો પટ્ટો રીન્યુ  કરી આપશો ને? અયોધ્યાના પેલા મારી જ પ્રાણપ્રતિષ્ઠ્ઠાથી બિરાજમાન  થયેલા  ફક્ત મારા જ "રામજી" એ હવે તો  સને 2024ની  ઈવીએમ મશિનવાળી ચૂંટણીની  સારસંભાળ  રાખવાનું મને 22મી જાન્યારીના દિવસે " Promise" તેમની આરતી ઉતારતે સમયે આપેલ છે! " રામજી" એ તથાસ્તુઃ  - કહ્યું કે નહીં તે મેં સાંભળ્યું  નથી! 

--

Friday, March 29, 2024

ડોનાલ્ડ ટ્રમ્પે ઈસાઈ ધર્મનું પુસ્તક “બાયબલ”પ્રતિ કોપી 60$ (સાઈઠ ડોલર)માં વેચવાની ઝુંબેશ શરૂ કરેલ છે.


ડોનાલ્ડ ટ્રમ્પે ઈસાઈ ધર્મનું પુસ્તક "બાયબલ"પ્રતિ કોપી  60$ (સાઈઠ ડોલર)માં વેચવાની ઝુંબેશ શરૂ કરેલ છે.

અમેરિકાના ભૂતપર્વ પ્રમુખ અને વર્તમાન રિપબ્લિકન પક્ષના દેશની આગામી ચૂંટણીમાં રાષ્ટ્રપતિ તરીકે ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે ઈસાઈ ધર્મનું પુસ્તક "બાયબલ"પ્રતિ કોપી  60$ (સાઈઠ ડોલર)માં વેચવાનું કેમપેઇન શરૂ કરેલ છે.કેમ? ટ્રમ્પ પોતાની તરંગી અને તઘલધી તુક્કાઓ માટે જગજાહેર છે.ટ્રમ્પની લાયકાત કહો કે ગેરલાયકાત છે કે તેના ઉપર ક્રિમિનલ અને સિવિલ કેસોના ચુકાદા આવી ગયા છે, દંડ અને સજાઓ થઈ છે અને હજુ  કેટલા  ચુકાદાઓ આવવાના બાકી છે તે સંશોધનનો વિષય છે!નાદારીમાંથી બચવા 60$માં  બાયબલ વેચવાની ઝુંબેશ શરૂ કરી છે.

  1. ન્યુયોર્કની કોર્ટે 355મિલિયન ડોલર્સ+વ્યાજસહિત દંડ અને કાયમ માટે ન્યુયોર્ક રાજ્યમાં  તમામ પ્રકારની આર્થિક અને ઉધોગીક પ્રવૃત્તિ કરવા પ્રતિબંધ. 

  2. 83મિલિયન$ ઈ.જે.કેરોલના કેસમાં  સ્ત્રી-જાતીય સતામણી અને બદનક્ષી માટે દંડ. 

  3. 100 મિલિયન$ કુલ વ્યાજ.

  4. બાઈબલના વેચાણમાંથી 135 મિલિયન$ પાર્ટ પેમેન્ટ ભરવાનું આયોજન છે. 


60$ (સાઈઠ ડોલર)માં વેચવા માટે ખાસ બાયબલ તૈયાર કરાવ્યું છે.જેમાં બાયબલ(Religious) ઉપરાંત અમેરિકાનું બંધારણ( Secular) પણ આમેજ કરેલ છે.બંનેના મૂલ્યો તો આમને સામને છે.તથા દરેક નાગરિકની દેશ પ્રત્યે વફાદારી માટેની સોગંદ વિધિનું લખાણ (Allegiance of Pledge)પણ સમાવેલ છે.

   


--

Wednesday, March 27, 2024

તારીખ 31મી માર્ચ ના રોજ “અવાજ “

તારીખ 31મી માર્ચ ના રોજ "અવાજ " સંસ્થા ના સાનિધ્યમાં અમદાવાદ મુકામે યુવા શિબિરનું આયોજન .રસ ધરાવતા મિત્રોને આમંત્રણ. સદર શિબિરનું આયોજન ગુજ મુંબઈ રેશનાલિસ્ટ એસો , બ.કાં અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિ પાલનપુર અને અવાજ સંસ્થા ત્રણેય ના  સંયુક્ત ઉપક્રમે રાખેલ છે. શિબિર નો સમય- રવિવારે -સવારના 10-00 થી સાંજના 5-00 સધી. સ્થળ - "અવાજ " ભુદરપુરા શ્રેયસ રેલવે ક્રોસિંગ -અમદાવાદ.

 નામ નોંધણી માટે સંપર્ક-94266 63821, 99744 42081. 

 શિબિર  માટેના મારાં સૂચનો -

 અવાજ, ગુજરાત મુંબઈ રેશનાલિસ્ટ એસો.અને  બ.કાં જિલ્લા અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના તમામ હોદ્દેદારો,આયોજકો, અને   મુખ્ય  મહેમાનો, યશવંતભાઈ  મહેતા, પ્રકાશભાઈ શાહ, રામનાથ ગોયેન્કા એવોર્ડ વિજેતા ભાઈ તેજસ વૈદ અને આમંત્રિત સાથીઓ ,

આજની આપણી મીટીંગનો હેતુ પ્રકાશિત પત્રિકા માં " ચર્ચાના ચયન" માંથી ભાવિ કાર્યક્ર્મોનો એજન્ડા નક્કી કરવાનો છે. મારુ અંગત મંતવ્ય  છે કે જેમ દર્દીના રોગનું નિદાન ડોક્ટર, દર્દીના શરીરના રોગના વર્તમાન ચિન્હો અને ભૂતકાળની કેસ વિગત જોઈને નક્કી કરે છે. તેવી જ રીતે ગુજરાત અને  દેશનો ધાર્મિક ભૂતકાળનો  સાંસ્કૃતિક વારસો અને તેમાંથી પેદા થયેલી વર્તમાન ઉગ્ર હિન્દુત્વવાદી સામાજિક,રાજકીય અને ધાર્મિક ધૃવિકર્ણવાળી એકહથ્થુ રાજકીય સત્તા છે. રેશનાલિસ્ટ ચળવળના સભ્યો તરીકે આપણે  હિન્દુ વિચારપદ્ધતિ( હિન્દુ રિલિજિયસ મોડ ઓફ થોટ)એ જે હિન્દુ વર્ણ -વ્યવસ્થા આધારિત સમાજ પેદા કર્યો છે તેના લોકશાહી મૂલ્યો વિરોધી પરિણામો તે  આપણા દેશના રોગના ચિન્હો છે. તે આપણો વારસો બની ગયો છે. મિલ્કત બની ગયો છે. તેને બચાવવા હિન્દૂ સમાજના હિત ધરાવતા તમામ પરિબળો અખૂટ સાધન સંપત્તિ સાથે સંગઠિત થઈ ગયા છે. પણ મજબૂરીથી સ્વીકારવું  પડશે કે તે ભૂતકાળનો વારસો છે.માટે તે મૃતપાય થઇ ગયેલ છે. તેથી તે સજીવન થઈ શકે તેમ નથી. મરણ પામેલ  શરીરનો નિયમ છે કે જેટલું વધારે  તેને રાખી મુકવામાં આવે તેટલું  વધારે ગંધાય ,ચેપ ફેલાવે અને જીવતા સગાવ્હાલાના જાન પણ જોખમમાં  મૂકે!   

વિશ્વના તમામ ભૌગોલિક પ્રદેશોમાં એક સમયે લગભગ આવીજ માનવ સંસ્કૃતિ વિકસી હતી. જેને કૃષિ સંસ્કૃતિ તરીકે ઓળખવામાં આવે છે.સદર સંસ્કૃતિને ટકાવી રાખવા,વિકસાવવા અને નૈતિક રીતે યોગ્ય ઠેરવવા જે સમાજ, ધાર્મિક,રાજકીય,આર્થિક અને કાયદાકીય વ્યવસ્થા અસ્તિત્વમાં આવી તે સમૂહ કેન્દ્રી હતી. વ્યક્તિ કેન્દ્રી ન હતી. વ્યક્તિના ભોગે સમષ્ટિનું કલ્યાણ તેનું ચાલક બળ હતું.

પંદરમી સદીથી શરૂ થયેલા નવજાગૃતિના ( રેનેશાં) યુગે જ્ઞાન-વિજ્ઞાનની શોધોની મદદથી  "આધુનિક યુગ" 'માનવ કેન્દ્રી' યુગનો પાયો બનાવ્યો છે.  10000 વર્ષથી ચાલુ રહેલી કૃષિ સંસ્કૃતિએ પેદા કરેલ તમામ સંસ્થાઓ,તેના ટેકામાં અસ્તિત્વમાં આવેલ તમામ વિચારસરણીની અપ્રસ્તુતાઓ ખુલ્લી કરી દીધી. તે બધાની  બિનઉપયોગીયતાઓ સાબિત કરી દીધી છે. જૂના ઈશ્વર કેન્દ્રી સમાજ વ્યવસ્થાને બદલે માનવ કેન્દ્રી  સમાજ વ્યવસ્થાના ચાલક બળો  તેણે શોધી કાઢયાં .માપદંડો (Measuring Rods) શોધી કાઢ્યા. તે સ્વતંત્રતા(Freedom),તર્કવિવેકશક્તિ( Rationality)અને ધર્મના આધાર સિવાયની નૈતિકતા( Secular Morality) છે. આ ત્રણ માનવમૂલ્યો છે.તેથી  તે જ્યાં જ્યાં માનવ રહે છે ત્યાં ત્યાં સદર મૂલ્યો તેની તમામ દુન્યવી સમસ્યાઓ ઉકેલવાના "ધ્રુવતારકો- માર્ગદર્શકો -દીવાદાંડી બની ગયા છે. આ  બધા મૂલ્યો વૈશ્વિક છે. તમામ રાષ્ટ્રીય અને સંકુચિત વિચારસરણીઓ અને વર્તનોથી પર છે.

     સર આઇઝેક ન્યુટને  શોધેલા કુદરતના  સંચાલનના ભૌતિક નીયમો (The universe is law governed) અને ચાર્લ્સ ડાર્વિનના ઉત્ક્રાંતિવાદના નિયમોએ માનવીને " ઈશ્વર અને તેના દલાલો "ના સકંજામાંથી કાયમ માટે  મુક્ત બનાવી દીધો છે. શું આ હકીકત ખરેખર સાચી  છે? શા માટે હું હિન્દૂ, મુસ્લિમ કે ઈસાઈ નથી ? ક્યાં કારણોસર હું રાષ્ટ્રવાદી નથી અને ખાસ કરીને હિન્દૂ રાષ્ટ્રવાદી તો નથી જ?મુખ્ય ત્રણ ધર્મોમાં ઈરેશનાલિટીનો અભ્યાસ કરવો જોઈએ તેવું તમને રેશનલી અનુભવ કરાયું છે ખરું? તે બધું સમજવા માટે ઉપલબ્ધ સાધનો છે? ગાંધીવાદ,સામ્યવાદ અને સંસદીય લોકશાહી વિચારસરણી માનવ કેન્દ્રી કેમ નથી? આ બધી વિચારસરણીઓ માનવી માટે છે કે માનવી તેમના ધ્યેયો સિદ્ધ કરવાના માત્રનું  સાધન છે?

મારી ઉપર મુજબની રજૂઆતને આધારે અત્રે હાજર રહેલ સૌ  રેશનાલિસ્ટ સાથીઓને પોતાનું નિજી જીવન " માનવ મૂલ્યો " આધારિત સુસજ્જ બનાવવા અને  તે પ્રમાણે પોતાની પ્રવૃત્તિઓ  "સર આઇઝેક પહેલાંના " ( Pre-Newtonian Society) ભારતીય સમાજ સામે સંઘર્ષ કરી  માનવમૂલ્યો કેન્દ્રી સમાજવ્યવસ્થા બનાવવા માટે નીચે મુજબના વિષયો પર જ્ઞાન આધારિત બૌદ્ધિક સજ્જતા -નિપુણતા મેળવવી કે કેળવવી અનિવાર્ય છે.

  1. ચાર્લ્સ ડાર્વિનનો  ઉત્ક્રાંતિવાદ કેવી રીતે સાબિત કરે છે કે વિશ્વ પરના માનવ સહિત તમામ સજીવોનું ઉત્કારતીવાદના સિદ્ધાંતોનું પરિણામ છે.ઈશ્વરી સર્જન નથી.

  2.   માનવીનો જીજીવિષા  ટકાવી રાખવાનો સંઘર્ષ માનવીય સ્તર પર સ્વતંત્રતા માટેનો સંઘર્ષ છે.

  3. સર આઇઝેક ન્યુટને કાયમ માટે સાબિત કરી દીધું છે કે  સમગ્ર બ્રહ્યમાંડ જ ભૌતિક( Physical Reality not illusion)વાસ્તવિકતા છે. માયા નથી. માનવી તેનો એક ભાગ છે. માટે તે પણ એક ભૌતિક એકમ છે. શરીરમાં નથી આત્મા કે વિશ્વમાં પરમાત્મા. સમજાવશો  કઈ રીતે? બ્રહ્યમાંડ નિયમબધ્ધ હોય (ઈશ્વર સંચાલિત ન હોય) અને માનવી તેનો એક ભાગ હોય તો તેનું સંચાલન પણ નિયમબધ્ધ છે?

  4. કુદરતી નિયમબધ્ધતાએ માનવીને કેવી રીતે રેશનલ બનાવ્યો? જ્ઞાનનો આધાર ઇન્દ્રિયજન્ય અનુભવ અને તેના મગજમાં જ્ઞાનબોધ કે સમજશક્તિ દ્વારા સંકલન કરી નિર્ણય( cognition) કરવાની પ્રક્રિયા છે. 

  5.  માનવીય નૈતિકતા એટલે શું?  ધાર્મિક નૈતિકતા અને માનવીય નૈતિકતા બંને  વચ્ચેનો  તફાવત સમજાવો. ઈશ્વર, ધર્મ, ભય ,બીક,રાજ્યસત્તાનો ભય સિવાય માનવી નૈતિક વ્યવહાર કે વર્તન કરી શકે? ભય કે દંડ પ્રેરિત નૈતિક વર્તનને આપણે નૈતિક વર્તન કહી શકીશું ખરા?

  6. ચમત્કારોના પર્દાફાર્શ એ રેશનાલીઝમ બિલકુલ નથી. કેમ? કેવી રીતે? રેશનાલીઝમ ધર્મ અને ઈશ્વરના આધાર સિવાય માનવી પોતાનું અસ્તિત્વ કેવી રીતે ટકાવી શકે વિકસાવી શકે, માટે તે સત્ય શોધવાનો વિકલ્પ છે. તે માટેનું એક સાધન છે.ચમત્કારોના પર્દાફાર્શ ક્યારેય આપણો ધેયય  ન હોઈ શકે. રેશનલપઘ્ધતિ  માનવ પ્રયત્નો અને અન્ય માનવીઓના સહકારથી  માનવ સુખાકારી માટેની નિરંતર ચાલતી સત્યશોધક પ્રવૃત્તિ છે. ઈશ્વર અને તેના ધર્મોમાં શ્રદ્ધા માનવીને તે બધાનો પરોપજીવી બનાવે છે. રેશનલ વિચાર પદ્ધતિ માનવીને બૌદ્ધિક રીતે સ્વાવલંબી ( Self reliance) બનાવવાની વૈશ્વિક પદ્ધતિ છે.   

  7. આ બધા પાયાના વિષયો છે.તેમાં પ્રાપ્ત કરેલી સજજ્તા આપણને કુટુંબ,સમાજ,ધર્મ, રાજ્ય-રાષ્ટ્ર વિ.ની સમસ્ટ્યાઓ ઉકેલવામાં મદદરૂપ થશે.

  8. આપણી સંસ્થાઓ તરફથી રાજ્યના જિલ્લા કેન્દ્રોમાં  તેના કેન્દ્રો બનાવી, અભ્યાસ શિબિરોનું આયોજન કરીને માનવવાદી નેતૃત્વ  તૈયાર કરવું પડશે.તે માટેની માનવ અને ભૌતિક સાધન સંપત્તિનું સર્જન અને આયોજન સમયબદ્ધ રીતે કરવું પડશે. મારી સંપૂર્ણ પ્રતિબદ્ધતા તે માટેના સહકારની છે. હું ખુબ જ ટૂંક સમયમાં  ઇન્ડિયા આવું છું .   

  9. આજના કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છા છે . તા. 31- 03-24.   

               



--

Monday, March 25, 2024

ચોર કોટવાળને દંડે !

ચોર કોટવાળને દંડે !

ગુજરાતીમાં એક કહેવત છે  કે "ચોર કોટવાળને દંડે". બીજી  કહેવત " में सबका खाऊ...... 

જે ગુનેગાર છે,જેની પાસે કરોડો રૂપિયાનો ચોરી નો  મુદ્દા માલ નીકળ્યો છે,આશરે (12000) કરોડ, દેશની સર્વોચ્ચ અદાલતે "ઈલેક્શન બોન્ડ્સ"(ચોરીનો મુદ્દામાલ)ને ગેરકાયદેસર અને ગેરબંધારણીય ગણીને રદબાતલ કરેલ છે, તે ચોર અને તે ચોરીના માલના  વહીવટકર્તા અને તેના સાગરીતો મિલીભગત થઈને વિરોધ પક્ષના નેતાઓ, મુખ્યમંત્રીઓ અને  પ્રમાણિક અને નિર્દોષ નાગરિકો( કોટવાળોને)ને જેલમાં પુરી દે છે.

દિલ્હી શરાબ ગોટાળાનો મુખ્ય આરોપી નામે 'શરત ચંદ્ર રેડ્ડી' હૈદરાબાદ સ્થિત 'ઔરબિંદો ફાર્મા' કું નો માલિક છે.તેને 'નાણાંકીય હેરાફેરીના સંદર્ભમાં તારીખ 10મી નવેંબર 2022ના રોજ મોદી સરકારના ઇડી તરફથી  ધરપકડ કરવામાં આવેલી હતી. ત્યારબાદ તારીખ 15 નવેમ્બરે બરાબર પાંચ દિવસ પછી આ 'રેડ્ડી 'સાહેબે 5 કરોડના ઈલે-બોન્ડ ખરીદીને  બીજેપીના ખાતામાં જમા કરાવ્યા.સ્ટેટબેન્કના લિસ્ટમાં તે નાણાં બીજેપીના ખાતામાં ટ્રાન્સફર થયા છે તે બતાવે છે. ત્યારબાદ 'રેડ્ડી'ને તા 28મી જાન્યુઆરી 2023ના રોજ વચગાળાના જમીન મળે છે.( આજ દિન સુધી સદર કલમ હેઠળ પકડાયેલા કોઈ ને જામીન મળેલ નથી.) પછી આ રેડ્ડી સાહેબને 8મી મે 2023 કાયમી જમીન મળે છે.તા 1લી જુન 2023 ના રોજ " તાજનો સાક્ષી " સરકારી ગવાહ બને છે. સદર કેસમાં પછી તે મુખ્ય ગુનેગાર કે આરોપી મટી  જાય છે! ત્યારબાદ 'રેડ્ડી' આમ આદમી પાર્ટીના મનીષ સીસોદીયા,સંજય સિંગ અને છેલ્લે અરવિંદ કેજરીવાલ વી.નામ આપી 200 કરોડ રૂપિયા રોકડા આપ્યા છે.તેવું પોલીસ સમક્ષ લખાવે છે. આવી કોઈ વિગત પ્રથમ ફરિયાદમાં કે એફઆઇઆરમાં નોંધેલ જ નથી. "રેડ્ડી "એ  8મી નવેંબર થી 15 નવેંબર 2023ની અંદર પાંચ દિવસમાં કુલ બીજા 55 કરોડના ઈલે- બોન્ડ્સ  ખરીદીને બીજેપીના ખાતામાં જમા કરાવે છે.

ઇડીએ આજદિન સુધી કોર્ટ સમક્ષ આપ પાર્ટીના નેતાઓ કેજરીવાલ સહિત  200 કરોડની રોકડ હેરાફેરીમાં સંડોવાયેલા છે તેવા કોઈ પુરાવા રજૂ કર્યા નથી.

ભારત દેશનો કોઈપણ નાગરિક ક્યારેય અપેક્ષા રાખી શકશે ખરો કે 'રેડ્ડી' 55 કરોડના  ઈલે- બોન્ડ્સ નાણાં ચેકથી ખરીદીને બીજેપીના ખાતામાં જમા થયેલ છે તે સત્ય  દેશના ચૂંટણી કમિશનરની  વેબસાઈટ પર 140 કરોડ લોકો  જોઈ શકે છે તેમ છતાં "રેડ્ડી "ની ધરપકડ થશે ? બીજેપીના ખાતા જપ્ત થશે ? બીજેપીના પક્ષના  પ્રમુખ જે.પી. નડ્ડા ઇડી  " ' મની લોન્ડ્રી 'ના  કેસમાં ધરપકડ કરીને જેલમાં  પુરી દેશે? 'રેડ્ડી 'પાસે એવી  ગવાહી કોર્ટ સમક્ષ લેવડાવી શકાશે ખરી કે મારો  કેસ  માંડી વાળવા, ભય અને બીકથી  " મેં  55 કરોડ  રૂપિયા  દેશના ગૃહમંત્રી અમિત શાહ કે વડાપ્રધાન  મોદી સાહેબના કહેવાથી આપ્યા હતા?"  દેશની Supreme Court " Suo motu"  આ બાબતમાં  કોઈ કાર્યવાહી કરી શકશે તેવી અપેક્ષા રાખી  શકાય?              

           હૈ! અયોધ્યામાં બિરાજમાન રામજી! તમારા દેશના શિર પરથી આવા નેતાઓને ક્યારે નીચે ઉતારશો ? દરરોજ સવારે હસ્તિનાપુરમાંથી દેશના નાગરિકોને  છેતરવા નવું જુઠ્ઠ્ઠાણું બહાર પાડવામાં આવે છે.દશરથ પુત્રના રામરાજ્યમાં લોકો એટલા ભયમુક્ત હતા કે પોતાના ઘરબાર ખુલ્લાં મૂકીને રાત્રે  નિરાંતે નીંદર માનતા હતા. હાલમાં તો સાહેબના રાજ્ય માં ક્યારે કોના ઘરે બારણે ટકોરા પાડવા ઇડી,આઇટી કે સીબીઆઈ આવશે  તેના ભયે અમારી બધાની નિંદર  જ હરામ કરી દીધી છે. ગીતામાં કહ્યું છે કે " संभवामि  युगे युगे "-  कितनी  देर है |       



--

Wednesday, March 20, 2024

તમારા ભ્રષ્ટ્રાચારની ગંગોત્રી “ ઈલેક્શન બોન્ડ્સ “દ્વારા દિલ્હીમાંની જમનાજીમાંથી નીકળી

 મોદીજી ! 

તમારા ભ્રષ્ટ્રાચારની ગંગોત્રી  " ઈલેક્શન બોન્ડ્સ "દ્વારા  દિલ્હીમાંની જમનાજીમાંથી નીકળી અમદાવાદ આવીને સાબરમતીના સંગમમાં ભળી ગઈ. 

દેશની સર્વોચ્ચ અદાલતે "મોદી સરકારે"સંસદમાં પસાર કરેલા " ઈલેક્શન બોન્ડ્સ"ને ગેરબંધારણીય ગણીને અવૈધ જાહેર કરેલ છે. "સ્ટેટબેંક ઓફ ઈંડિયા"ને  સને 2019થી આજદિન સુધીમાં ઈલેક્શન બોન્ડ ખરીદનાર-અને લેનારની સંપૂર્ણ વિગતો દેશના ચૂંટણી કમિશ્નરને સુપરત કરવા તેમજ સદર સંસ્થાને તેની વેબસાઈટ પર તે બધી વિગતો નક્કી કરેલ સમય મર્યાદામાં જાહેર કરવા હુકમ કરેલ છે.લોકશાહી રાજ્યપ્રથાનો કોઈ આધાર સ્તંભ હોય તો તે મુક્ત અને પ્રામાણિક ચૂંટણી પ્રથા છે.

    આ કેસ એસોસિયેટેડ ઓફ ડેમોક્રેટિક સંસ્થા,સામ્યવાદી પક્ષ અને પબ્લિક ઇન્ટરેસ્ટ લીટીગેશન,એમ કુલ ત્રણ સંસ્થાઓએ કરેલ હતો.આ બધાને પુરાવા અને આંકડાકીય માહિતીથી સજ્જ કરવામાં " રીપોર્ટર્સ કલેક્ટીવ"ની ટીમનું બહુ મોટું પ્રદાન છે. સદર કેસમાં ફરિયાદીના એડ્વોકેટ્સ તરીકે માનનીય પ્રશાંત ભૂષણ, કપિલ સિબ્બલ વી.હતા. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયધીશ માનનીય ચંદ્રચુડ સાહેબની અગવાઈ નીચે પાંચ ન્યાયાધીશોની બેંચે સર્વાનુમત્તે ચુકાદો આપ્યો છે.

 કોર્ટ પાસે દાદ માંગી હતી કે ઈલેક્શન બોન્ડ ખરીદનાર ઉદ્યોગ કુંપનીઓ અને રાજકીય પક્ષઓની તેમાં મિલી ભગત છે. ઔધ્યોગીક ઘરનાઓ બે કારણોસર બોન્ડ્સ ખરીદી કરેલ છે. એક, દિલ્હીની મોદી સરકારે આ બધી કુંપનીઓ પર ઇન્કમટેક્સ(IT),એન્ફોર્સમેન્ટ સંસ્થા( ED) અને કેન્દ્રીય જાંચ સંસ્થાના(CBI) દરોડા પડાવીને બોન્ડ્સ ખરીદવા મજબુર કર્યા છે. " चंदा दो और धंधा करो " અને / અથવા પોતાનો સરકારી કોન્ટ્રાક્ટ આપીને બોન્ડ્સ ખરીદવા મજબૂર કર્યા છે.નામદાર કોર્ટે સરકારના કૃત્યને સમજાવવા એક લેટિનભાષા નો માર્મિક શબ્દ "  Pro Bo No"નો ઉપયોગ કર્યો છે.એટલે સરકાર પાસે થી નાણાંકીય ફાયદો લેવા પ્રથમ નાણાં આપો!

આ કાયદો ઘડવામાં અને પસાર કરવામાં મોદી સરકારની દાનતને ટૂંકમાં સમજીએ.(1) સદર બિલને મની બીલની શ્રેણીમાં મૂકીને પોતાના પક્ષની  લોકસભામાં બહુમતી હોવાથી અને રાજ્યસભામાં બહુમતી નહીં હોવાથી પસાર કરાવી લીધું. જેથી રાજ્યસભામાં પસાર કરવું ન પડે. ઇલેક્ષન બોન્ડને કોઈ સંબંધ દેશના બજેટ સાથે નથી. તેમ છતાં તે જોગવાઇનો ઉપયોગ કરીને સદર બિલ પસાર કરાવ્યું હતું.(2) ઇન્ડિયન કુંપની એક્ટમાં જૂની જોગવાઈ મુજબ ફક્ત સતત ત્રણ વર્ષથી જે કુંપની નફો કરતી હોય તે પોતાના નફામાંથી સાત ટકા નાણાં જે તે કુંપનીની સામાન્યસભાની પૂર્વમંજૂરી લઈને કોઇ રાજકીય પક્ષને ચૂંટણી લડવા નાણાંકીય મદદ કરી શકે! તેમાં ફેરફાર કરીને કોઈપણ કુંપની નફો કરતી હોય કે ખોટ, સામાન્યસભાની મંજૂરી સિવાય, ગમે તેટલી રકમ દેવું કરીને પણ ઈચ્છે તે રાજકીય પક્ષને આવા બોન્ડ્સ ખરીદીને નાણાકીય મદદ કરી શકે!(3) રિઝર્વ બેંકના કાયદામાં વિદેશી કુંપનીઓનું નાણાકીય મૂડીરોકાણ દેશની અખંડતા અને સાર્વભૌમત્વના સંરક્ષણને ધ્યાનમાં લઈને ક્યારેય ન લેવાય(કહેવાતા ભાજપી રાષ્ટ્રવાદને મજબૂત કરવા)તે જોગવાઈને પણ રદ બાતલ કરી દીધી. આધારભૂત માહિતી છે કે દુબઈની શેલ કુંપનીઓ,અને પાકિસ્તાન અને ચીનની બેનામી કુંપનીઓએ પણ ઇલેક્ક્ષન બોન્ડ્સ ખરીદી ને પોતાનું  હિત ધરાવતા રાજકીય પક્ષને નાણાં આપેલ છે.         

          

આપણા દેશના ઉધોગ જગતનું કોઈ ક્ષેત્ર બાકી નથી જેને આ  બોન્ડ્સ ખરીદીને રાજકીય પક્ષને આપ્યા  ન હોય! રોડ, બ્રિજ,માઇનિંગ, દવા ઉદ્યોગ,બાંધકામ,એનર્જી, રિયલ એસ્ટેટ,વી.  સને 2019થી શરૂ કરીને ફેબ્રુઆરી 2024 સુધીમાં જે 12156/ કરોડ ના બોન્ડ્સ સ્ટેટબેંકમાંથી ખરીદવામાં આવ્યા છે.   તેમાંથી 50% ઉપરના બોન્ડ્સ ફક્ત 20 દાતાઓએ ખરીદેલ છે.તેમાં વેદાન્તા લી,સુનિલ મિત્તલ,એ. વી. બિરલા,એસેલ માઇનિંગ,બજાજ ઓટો,ડીએલએફ,રિલાયન્સ ઉદ્યોગની પેટા કું.વિ છે. ગુજરાતની જે ઔધ્યોગિક કુંપનીઓએ બોન્ડ્સ ખરીદીને બીજેપીને આપ્યાં છે તેની યાદી લેખના અંતમાં આપી છે. બીજું ભાજપ સિવાય ત્રણમુલ કોંગ્રેસ (બંગાળ),ડીએમકે(તામિલનાડુ) અને રાષ્ટ્રીય કોંગ્રેસ વી.ને જે કુંપનીઓએ બોન્ડ્સ દ્રારા જે નાણાં આપ્યા છે અને મલ્યાં છે તેમાં સરકારી એજન્સીનો જેવી કે ઇડી,આઈ ટી, કે સીબીઆઈ નો ઉપયોગ કરીને " चंदा दो और धंधा करो "ના ઓથા નીચે મળેલ નથી.

 હવે જે કુંપનીઓને સરકારી એજન્સીનો ઉપયોગ કરીને અને  લાયસન્સ પરમીટ અને ટેન્ડર -કોન્ટ્રાક્ટ આપીને  જે બોન્ડ્સ ફક્ત ભાજપે  ભેગા કર્યા છે તેની યાદી ખુબ જ મોટી છે. તેમાંથી પસંદ કરેલી યાદી નીચે મુજબ છે.the Bharatiya Janata Party encashed bonds to the tune of Rs 6,061 crore.

  1. ફ્યુચર ગેમીંગ કુંપની ના માલિક સેંટોગો માર્ટિને 2019 થી 2024

સુધીમાં કુલ આશરે 1300 કરોડના બોન્ડ્સ ખરીદ્યા હતા.સને 2019થી અને 2જી એપ્રિલે  2022 વચ્ચે ઇડી એ 250 કરોડ અને 409 કરોડની મિલ્કતો જપ્ત કરી હતી.7મીએપ્રિલે સદર કંપનીએ 100 કરોડના બોન્ડ્સ ખરીદ્યા હતા.  

  1. એપી રાજ્યમાં હૈદરાબાદ માં આવેલ મેઘા એન્જી કુંએ આ પાંચ વર્ષના ગાળામાં 1000 કરોડના બોન્ડ્સ ખરીદ્યા હતા.ઓક્ટોબર 2019ની આઈ ટી પછી પહેલીવાર તે કુંપનીએ  પ્રથમ 50 કરોડના બોન્ડ્સ ખરીદ્યા હતા.તેના માલિકનું નામ ક્રિષ્ના રેડ્ડી છે. 

  2.  વેદાન્તા ગૃપ  ચીની નાગરિકોના ગેરકાયદેસર ઘુસાડવાના વિસા - રેકેટમાં  પક્ડાએલું હતું. કેન્દ્ર સરકારની ત્રણેય એજન્સીઓ તેની પાછળ પડી ગઈ. 2019થી 2023 સુધીમાં કુંપનીએ 376 કરોડના બોન્ડ્સ ખરીદયા  હતા.

  3. જિંદાલ સ્ટીલ કુંના માલિક પરદેશી હૂંડિયામણની હેરાફેરીમાં  પકડાયા હતા. 123 કરોડ બોન્ડ્સ ખરીદ્યા. સી આર રમેશ ટીડીપીનો ચૂંટાયેલો એમ પી, રીત્વિક પ્રોજેક્ટનો માલિક 100 કરોડના મની લોન્ડરીગમાં સંડોવાયેલો. 45 કરોડ બોન્ડ્સ ખરીદ્યા ઉપરાંત ભાજ્પ માં  જોડાઇ ગયો.( Months later, Ramesh joined the BJP.)

  4.  દેશની દવા બનાવતી(major pharma) કુંપનીઓ એકી સાથે સમૂહમાં બોન્ડ્સ 2019 થી 2023ખરીદ્યાં વચ્ચે હતા. સિપ્લા,ડૉ રેડ્ડી ,ઇપકા લેબ ભેગા મળીને 50 કરોડ,GlIn maRk 30,એલમ્બિક ફાર્મા ,એલ્કેમ લેબ,પિરામલ  20 કરોડ દરેકે લીધા.આ બધી કુંપનીઓ જીએસટી ની ચોરીમાં સંડોવાયેલી હતી.પરંતુ આખરે વિસ્મય કારણોસર તે બધા જીએસટી સામેના કેસમાં  જીતી ગયા  હતા. કારણકે જે નાણાં દેશની કચેરીમાં ટેક્ષ રૂપે જવાના હતા તે નાણાં  બીજેપીની તિજોરીમાં  બોન્ડ્સ સ્વરૂપે હસ્તાંતર  થઈ ગયા. (30 pharma and healthcare firms together bought bonds worth over `900 cr)

  5. )મમતા બેનર્જીના પક્ષને 2019 થી 2024 વચ્ચે 1609 કરોડના બોન્ડ્સ મળ્યા હતા. લોકસભા તથા રાજ્યોની વિધાનસભાઓની  ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને બોન્ડની ખરીદી અને રાજકીય પક્ષઓમાં વહેંચણી  મોટે પાયે  કરવામાં  આવી હતી. તારીખો અને રકમ બધું જ જાહેર કરવામાં આવેલ છે. રાજસ્થાન. મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને  તેલંગાણા ની ચાર રાજ્યોની ચૂંટણીઓમાં 2000 કરોડ ઉપરાંતના બોન્ડની લે વેચ કરવામાં આવેલી હતી. સને 2019ની લોકસભાની ચૂંટણીમાં બીજેપીએ રાજકીય પક્ષ તરીકે લોકસભાની એક બેઠક દીઠ 50 થી 60 કરોડ ખર્ચ કરેલા હતા. 300 સીટ વિજેતા બનતાં કુલ ખર્ચ કેટલો થયો હશે તે નાણાં ક્યાંથી આવ્યા હશે. ઉમેદવારનો જુદો!

  6. જે કુંપનીઓની ભરપાઈ થયેલી મૂડી  પાંચ કરોડ કરતા ઓછી છે  તેવી 25 કુંપનીઓએ 250 કરોડ રૂપિયાના બોન્ડ્સ ખરીદેલ છે.પોતાની ભરપાઈ થયેલી મૂડી કરતા 50 ગણા બોન્ડ્સ ખરીદ્યા છે. કોના હિતમાં?I

  7.  ગુજરાતમાં ચૂંટણી બોન્ડની ખરીદી અને વહેચણી - ટોરેન્ટ ફાર્મા ગ્રુપ એકલાએ ગુજરાતમાં 185 કરોડના બોન્ડ્સ ખરીદેલ છે.આ ઉપરાંત વૅલસ્પુન ગ્રુપ 50 કરોડ,વડોદરાની સન ફાર્મા 31 ક્રોડ, નિરમા 16 ક્રોડ.રસ્તાઓ, ટોલનાકાઓ અને ઓવરબ્રિજ બાંધનારી "રણજીત બિલ્ડ કું લી અને રણજીત ટોલ રોડ પ્રા લી  સને  2023માં 15 કરોડના બોન્ડ્સ ખરીદ્યા હતા.ગયે અઠવાડિયે , અમદાવાદ મ્યુનિ કોર્પો  રણજીત બિલ્ડ કું ને શહેરના  બીઝી ટ્રાફિક જંકશન પર ઓવરબ્રિજ બાંધવા 109 કરોડનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. બીજા 7 કરોડના બોન્ડ્સ કું ખરીદ્યા છે.  24મી જાન્યુઆરી 2024ના દિવસે આ ઉધોગીક ઘરાણાએ કુલ 10 કરોડના બોન્ડ્સ ખરીદ્યા હતા. મહેસાણામાં નોંધણી થયેલ આરબીએલ કું જેને પરસોતમ પટેલ અને રણછોડભાઈ પટેલ ભાઈઓની છે. તેઓને છેલ્લા 15 વર્ષોમાં ગુજરાત સરકાર,રાજ્યની અનેક મ્યુનિસિપાલિટીઓનો, અમદાવાદ જેવા તમામ રાજ્યના ગુજરાત શહેરીવિકાસ મંડળો અને ગુજરાત મેટ્રો રેલના હજારો કરોડો રૂપિયાના   કોન્ટ્રાક્ટર્સ મળ્યા છે. સદર કુંપની મેનેજર ગૌતમ પટેલે ઇન્ડિયન એક્સપ્રેસના સદર રિપોર્ટરને જણાવ્યું હતું કે દેશમાં તેમની કુંપની પાસે 200 બ્રિજ બાંધવાના કોન્ટ્રાક્ટર્સ છે.( Gaurav Patel, the RBL managing director, had told The Indian Express then that the firm was handling "200 bridge projects in the country" and were "experts". ) આજ કુંપની દ્વારા  સાઉથ -બોપલ માં મુમ્તાપુરા બ્રિજનો એક સ્લેબ  તૂટી પડ્યો હતો. તેમાં વપરાયેલ સ્ટીલ અને સિમેન્ટ હલકી કક્ષાનું  હતું  તેવો રિપોર્ટ "ગુજરાત લોકાયુક્ત"નો હતો. આજ કુંપની દ્વારા રાજકોટમાં " ચીમન શુક્લ " ઓવરબ્રિજ "સ્પાન તૂટતાં એક મજૂરનું મોત થયું હતું.  (Police had registered a case under Section 304 (culpable homicide not amounting to murder) and arrested two RBL employees on February 23, 2023. The sub-contractor was also arrested.) સમરથ  કો ન દોષ ગોંસાઇ.   


 



--

Wednesday, March 13, 2024

8 મી માર્ચ -વિશ્વ મહિલા દીવસ નીમિત્તે- જે તે મુસ્લિમ દેશોએ પોતાની મહિલાઓને આપેલો તોફો!


Posts

Filters
Manage posts


8 મી માર્ચ -વિશ્વ મહિલા દીવસ નીમિત્તે- જે તે મુસ્લિમ દેશોએ પોતાની મહિલાઓને આપેલો તોફો!
( Today is International Women's Day but recently we've seen religious threats to women's rights across the globe.)
(1) આફ્રિકા ખંડના પશ્ચિમ -ઉત્તર દિશામાં એટલાન્ટિક મહાસાગરને કિનારે આવેલ દેશ ગેમ્બિયા એક મુસ્લિમ દેશ છે. આજ દિવસે તેની સંસદે કુંવારી બાળકીઓના જનીનેન્દ્રિયના અગત્યના અંગ Clotri ને અંગછેદન (to legalise female genital mutilation)ને કાયદેસર માન્યતા આપી દીધી છે. તબીબી વિજ્ઞાન પ્રમાણે સદર અંગ સ્ત્રીને જાતીયસુખની પરાકાષ્ટાઃ પ્રાપ્ત કરવા માટેનું પ્રથમ સોપાન છે. જે ઇસ્લામે વર્જ્ય ગણેલ હોવાથી તે અંગછેદનને ધાર્મિક રૂઢિ ગણી "સુન્નત" માફક અમલ કરવામાં આવે છે. પશ્ચિમના દેશોમાં વર્ષોથી નાગરિક બનેલા મુસ્લિમ ધર્મીઓ પોતાની કુંવારી દસ-બાર વર્ષની દીકરીઓને સદર દેશોમાં જનીનેન્દ્રિય અંગછેદન ફોજદારી ગુનો થતો હોવાથી પોતાના મૂળ દેશમાં દીકરીઓને લઈ જઈને આ અમાનુષી કૃત્ય પણ ધાર્મિક ઓળખ માટેની જરૂરી હોય માટે કરવાનો આનંદ લે છે.
(2) ઈરાન દેશની નૈતિક પોલીસે (The Iranian 'morality police' ) "હિજાબ " ફરજીયાત પહેરવા માટે જાહેર રસ્તા ઉપર જાસૂસી કેમેરા(Surveillance cameras)તપાસ માટે મૂકી દીધા છે. પોતાની મોટરમાં બેઠેલી સ્ત્રીઓ "ધાર્મિક શીલ મર્યાદા નિયમ"(the religious 'modesty' code)નું પાલન કરે છે કે નહીં તે જાણવા માટે અને પછી સખ્ત શિક્ષા કરવા માટે. સદર કાયદાના ઉલંઘન માટે લાખો સ્ત્રીઓએ આ ધાર્મિક કાયદા ઉલ્લઘન માટે પોતાની મોટરોને કાયદેસર રીતે કબ્જે કરી લીધી છે તેવી ફરિયાદો કરેલ છે. (Hundreds of thousands of women have reportedly had their cars impounded after falling foul of the law.)
(3) અફઘાનિસ્તાનની તાલિબાન સરકારે ટીવી પર મહિલા સ્ત્રી ન્યૂઝરીડર પોતાનો ચહેરો સંપૂર્ણ ઢાંકી ને જ સમાચાર આપવા આવવાનું કાયદેસર બનાવી દીધેલ છે. (the Taliban has banned women )
(4) પાકિસ્તાનમાં જે સ્ત્રીઓએ પોતાના ડ્રેસ (wearing a dress) ઉપર એરેબિક સુંદર શબ્દો ચિતરાવ્યા હોય તેને કુરાનની ઇસ્લામ વિરુદ્ધની આયાતો (પધ્ય)ગણીને ધાર્મિક અવમાનના (blasphemy)ના ગુણ હેઠળ ઇસ્લામી ઉગ્રવાદીઓએ કાયદો હાથમાં લઈને ખૂની હુમલા કરવા માંડ્યા છે.ટોળાએ તેમનો શિરચ્છેદ કરવાના સૂત્રો (amid chants to behead blasphemers)પોકારવા માંડ્યા છે. દેશની પોલીસે તપાસ કરતાં ખબર પડી હતી કે આ શબ્દોમાં ઇસ્લામ, ખુદા કે કુરાન અંગે કે તે વિરુદ્ધનું કશું હતું જ નહીં. ટોળામાં બુધ્ધિ નથી હોતી જે હકીકત છે. પણ ટોળાનો ઉપયોગ કરનારાઓમાં અસામાજિક બુદ્ધિનો ખજાનો ભરેલો હોય છે.
(5) ભારત દેશમાં વર્તમાન સરકારની આગેવાની નીચે મહિલા-પહેલવાનોના શરીરો સાથે જે છેડછાડ થઈ રહી છે તે માટે ઓલમ્પિક વિજેતા મહિલા કુસ્તી વિજેતાઓ સાથે મોદી સરકારના સાંસદ બ્રિજ બિશનસિંગ સામેની ફરિયાદો ને કઈ શ્રેણીમાં મુકીશું? પોતાના બાપના રાજીનામાં પછી બ્રિજ બિશનસિંગના પરિવારના મોટા દીકરાએ જાહેર કર્યું છે કે " ઇન્ડિયન ઓલમ્પિક એસોસીયસન" મારા કુટુંબની માલિકી હતી, છે અને ભવિષ્યમાં રહેશે.
(સૌ .નેશનલ સેકયુલર સોસાયટી - બ્રિટન ન્યુઝ લેટરનો ભાવાનુવાદ.)
--